20/05/2026
દેવગઢ બારીઆ નગરપાલિકા દ્વારા દબાણો હટાવવા બાબતે ગાડી ફેરવી કરવામાં આવેલી જાણકારીને લઈને નગરમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
નગરના મુખ્ય માર્ગો પર વર્ષોથી ઉભા થતા દબાણોના કારણે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી રહી છે, જેના કારણે સામાન્ય નગરજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
દેવગઢ બારીઆ ટાઉન આ સરાહનીય કામગીરીને આવકારી રહ્યું છે. સાથે જ નગરજનોની એવી પણ આશા છે કે કોઈની શેહશરમ રાખ્યા વગર, દરેકને સમાન સમજીને નિષ્પક્ષ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
આશા રાખીએ છીએ કે અગાઉની જેમ “વહાલા દવાલા” ની નીતિ અપનાવવામાં નહીં આવે અને દબાણ મુક્ત રસ્તાઓ દ્વારા નગરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે.
#દેવગઢબારીઆ