07/01/2026
આત્મીય સ્નેહી શ્રી, વેળાવદર સમસ્ત પટેલ સમાજ (અમદાવાદ)
સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણા બધાના ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સાકરીયા હનુમાનજી દાદાની અસીમ કૃપાથી વેળાવદર પટેલ યુવા ગ્રુપ (અમદાવાદ) દ્વારા તા. ૧૧/૦૧/૨૦૨૬ ને રવિવાર ના રોજ પ્રેમ નો પરિવારોત્સવ તથા સમસ્ત વેળાવદર પટેલ સમાજનો
બીજો સ્નેહમિલન સમારોહ
નું આયોજન કરવામાં આવેલ છે, તો વેળાવદર સમસ્ત પટેલ સમાજના તમામ લોકોને આ શુભપ્રસંગમાં હાજરી આપવા તથા આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડવા આપને સહ પરિવાર તથા સહ મિત્રમંડળ પધારવા સ્નેહભર્યું આમંત્રણ છે.