Aapdu Surat

Aapdu Surat News, Food, People, Tourism, Heritage of Surat. A page presenting everything the city has to offer.

ગોપી કાર્નિવલ કોરોના બાદ ભૂલાઇ ગયો:ગોપી કાર્નિવલ તો ભૂલાઈ જ ગયો સાથે વિઝિટર્સ પણ 6 વર્ષમાં 17.56 લાખથી 5.86 લાખ થઈ ગયા.વ...
21/12/2023

ગોપી કાર્નિવલ કોરોના બાદ ભૂલાઇ ગયો:

ગોપી કાર્નિવલ તો ભૂલાઈ જ ગયો સાથે વિઝિટર્સ પણ 6 વર્ષમાં 17.56 લાખથી 5.86 લાખ થઈ ગયા.

વર્ષ 2020 પહેલાં શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો ઐતિહાસિક ગોપી તળાવ ખાતેનો ગોપી કાર્નિવલ કોરોના બાદ ભૂલાઇ ગયો છે. પાલિકા અમદાવાદના કાંકરિયા કાર્નિવલની જેમ જ દર વર્ષે નાતાલથી થર્ટીફર્સ્ટ દરમિયાન આ કાર્નિવલ યોજતી હતો, જેમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો સાથે લોકો ખાણી-પીણીની મજા પણ માણતા હતા.

7 દિવસ ચાલતા આ કાર્નિવલમાં રોજ 30 હજાર અને છેલ્લા દિવસે તો 75 હજાર લોકો ઉમટા હતા. આમ, ગોપી કાર્નિવલ જે તે સમયે સુપરહીટ પુરવાર થયો હતો. જો કે, હાલમાં વિઝિટર્સની વાર્ષિક સંખ્યા 17.56 લાખ પરથી 7થી 8 લાખ થઈ ગઈ છે. છેલ્લા 9 માસમાં 5.86 લાખ વિઝિટર્સ નોંધાયા છે ત્યારે શાસકો ગોપી કાર્નિવલ માટે રસ દાખવે તેવી લોકોની માંગ છે.

કોરોનાને કારણે શહેરમાં 2 વર્ષથી ઘણા તહેવારો, કાર્યક્રમો તેમજ સામૂહિક આયોજનો પડતા મૂકાયા હતા, જેના પગલે આ બે વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ યોજાયો ન હતો. જો કે છેલ્લા બે વર્ષથી કાર્યક્રમ થાય છે પરંતુ ગોપી કાર્નિવલ માટે કોઇ આયોજન કરાતું નથી.


























ડાયમંડ બુર્સની અનોખી વાતો:દુનિયાનું એકમાત્ર એવું બિલ્ડિંગ જ્યાં એક છત નીચે 67 હજાર લોકો કામ કરશે.સીધી-આડકતરી રીતે 1.50 લ...
21/12/2023

ડાયમંડ બુર્સની અનોખી વાતો:
દુનિયાનું એકમાત્ર એવું બિલ્ડિંગ જ્યાં એક છત નીચે 67 હજાર લોકો કામ કરશે.
સીધી-આડકતરી રીતે 1.50 લાખ લોકોને રોજગારી.

35 એકરમાં દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ, 4700થી વધારે ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ, 27 ઈન્ટરનેશનલ જ્વેલરી સ્ટોર અને 20 રેસ્ટોરન્ટ, 8 બેન્કની સાથે સુરત ડાયમંડ બુર્સ ઉદ્દઘાટન માટે તૈયાર છે. સુરત ડાયમંડ બુર્સને બનાવતા 1800 દિવસનો સમય લાગ્યો છે. 35.54 એકર જગ્યા એટલે કે, 1,43,825 સ્ક્વેર મીટરમાં આ ઈમાતરનું બાંધકામ થયું છે. સુરત ડાયમંડ બુર્સમાં ગ્રાઉન્ડ પ્લસ 15 માળ છે. બિલ્ડિંગમાં એક સાથે એક છત નીચે 67000 લોકો કામ કરે તેટલી ક્ષમતા છે.

67 લાખ સ્ક્વેર ફૂટમાં સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ કરાયું
9 આઈકોનિક ટાવર, દરેક ટાવરમાં ગ્રાઉન્ટ પ્લસ 15 માળ
4700 ઓફિસ, 300 ફૂટથી લઈને 1.15 લાખ સ્ક્વેર ફૂટ ઓફિસની
67000 લોકો એક છત નીચે એક સાથે કામ કરશે
1.50 લાખ લોકોને સીધી અને આડકતરી રીતે રોજગારી મળશે
4 મિનીટમાં ગેટથી કોઈ પણ માળે કોઈ પણ ઓફિસે પહોંચી શકાશે
131 લિફ્ટ, દરેક લિફ્ટની સ્પિડ પ્રતિ સેકન્ડ 3 મીટર
ક્લબ, કોન્ફરન્સ હોલ, રેસ્ટોરન્ટ હેલ્થ ક્લબ, બેન્કવેટહોલ, બેંક
10 હજાર ટુ વ્હિલર અને 4500થી વધુ ફોર વ્હીલરનું પાર્કિંગ
ટાવરની વચ્ચે 3 વીઘા જગ્યામાં લેન્ડસ્કેપિંગ ડિઝાઈન કરાઇ.

























ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર મોટી અસર:રશિયાની રફ પર હવે G7 દેશોનો પણ પ્રતિબંધ કારખાનાં બંધ થઈ બેરોજગારી વધવાની ભીતિ.આયાત થતી 35%...
08/12/2023

ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર મોટી અસર:

રશિયાની રફ પર હવે G7 દેશોનો પણ પ્રતિબંધ કારખાનાં બંધ થઈ બેરોજગારી વધવાની ભીતિ.

આયાત થતી 35% રફ રશિયાની, દેશમાં સુરત ફિનિશ્ડ હીરાનું કેન્દ્ર હોવાથી સીધી અસર
શોર્ટ સપ્લાયને કારણે અન્ય દેશોની માઈનિંગ કંપનીઓ તકનો લાભ ઉઠાવી ભાવ વધારશે

હવે G7 દેશોએ પણ રશિયાની રફ પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી સુરતના ઉદ્યોગ પર મોટી અસર થશે. ખાસ કરીને કારખાના બંધ થવાની ભીતિ છે, જેથી બેરોજગારી વધશે. યુક્રેનના યુદ્ધ બાદ રશિયામાં ઉત્પાદિત થતી વસ્તુઓનો ઉપયોગ અમેરિકા સહિતનાં દેશોએ બંધ કર્યો છે. હવે G7 દેશોએ 1 જાન્યુઆરીથી રશિયાની રફ સામે અને 1 માર્ચથી પ્રોસેસ કરાયેલા હીરા સામે પ્રતિબંધ મૂક્યો છે. G7 દેશોને શંકા છે કે, રશિયા રફના વેચાણ બાદ જે આવક થાય છે તેનો ઉપયોગ યુદ્ધ માટે કરે છે. જેથી આ રફ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કે, તેના કારણે સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર આડકતરી અસર થશે કારણ કે, ભારતમાં જેટલી રફની આયાત થાય છે તેમાંથી અંદાજે 35 ટકા રફ રશિયાની હોય છે. અને ભારતમાં મુખ્યત્વે સુરતમાં જ હીરા પોલિશ થાય છે. રફની આયાત અટકવાથી સુરતના કારખાનાં બંધ થશે અને અનેક રત્નકલાકારો બેરોજગાર થશે. બીજી તરફ રશિયાની રફ પર પ્રતિબંધ મૂકાતાં અન્ય દેશમાં રફનું ઉત્પાદન કરતી કંપનીઓ શોર્ટ સપ્લાયનો લાભ લઈને ભાવ વધારશે.

























"Trends may define the moment, but emotions define our essence. Let's strike a balance. 🌼🤗
18/11/2023

"Trends may define the moment, but emotions define our essence. Let's strike a balance.

🌼🤗

લાભપાંચમ દિવાળીના તહેવારો અંતિમ તબક્કામાં આવી પહોંચ્યા છે, ત્યારે આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભપાંચમ છે.લાભપાંચમને ગુજ...
18/11/2023

લાભપાંચમ

દિવાળીના તહેવારો અંતિમ તબક્કામાં આવી પહોંચ્યા છે, ત્યારે આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભપાંચમ છે.
લાભપાંચમને ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી અને લાભપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે

હિન્દુ અને જૈન ધર્મોની પરંપરામાં લાભ પંચમીની દેવી શારદા (લક્ષ્મીજી અને સરસ્વતીજી) મનાય છે.
નવું વર્ષ વધુ શુભ અને લાભદાયી પસાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ મુહૂર્ત કરે છે, તેમજ શુભ મુહૂર્ત સાથે દુકાનો અને બજારો ફરીથી ધમધમવા લાગે છે અને સાથે અમુક વેપારીઓ દ્વારા કાંટા પૂજન પણ કરવામાં આવે છે.

💰🙌




વેપારીઓ માટે ચોપડા-પૂજન સાથે ગણેશ-પૂજન પણ ખાસ મહત્વ છે.
લાભ પાંચમના એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના ઉંમરે "લાભ-શુભ" લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે.

લાભ પાંચમે શ્રીસૂક્તનો પાઠ કરવાનો મહિમા છે. આ વૈદિક સૂક્તમાં લક્ષ્મીને મનોકામના પૂર્ણ (મનની ઈચ્છા) કરનારી કહેવામાં આવે છે.

તેમજ આ દિવસે જૈન ધર્મના ગણધરોએ સંકલિત કહેલા આગમ ગ્રંથોનું વાંચન-લેખન-શ્રવણ થાય છે.

કહેવાય છે કે,
આ દિવસે ગરીબો અને જરૂરીયાતમંદને ખોરાક-કપડાં કે અન્ય આવશ્યક દાન આપવું ખૂબ શુભ માનવામાં આવે છે.
આ રીતે લોકો એમના સારા વ્યવસાય માટે માં લક્ષ્મીની પૂજા-અર્ચના કરીને આશિર્વાદ પ્રાપ્ત કરે છે.

Trends come and go, but the warmth of genuine emotions stays forever. 🌿❤️
14/11/2023

Trends come and go, but the warmth of genuine emotions stays forever. 🌿❤️

હિન્દૂ નવ વર્ષ વિક્ર્મ સંવતજાણીએ પ્રારંભથી પ્રચલન સુધીની વાત..- ઈ.સ. પૂર્વે 57 માં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યએ શક શાસકોન...
14/11/2023

હિન્દૂ નવ વર્ષ
વિક્ર્મ સંવત

જાણીએ પ્રારંભથી પ્રચલન સુધીની વાત..

- ઈ.સ. પૂર્વે 57 માં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યએ શક શાસકોને હરાવી અવંતિ દેશને વિદેશી શાસનમાંથી મુક્ત કર્યો, ત્યારે એ વિજયની સ્મૃતિમાં આ સંવત શરૂ કરવામાં આવ્યો.
- આ વિજય વડે સુખ અને સમૃદ્ધિનો કાળ શરૂ થયો હોવાથી શરૂઆતના વર્ષો દરમિયાન તે 'કૃત સંવત' તરીકે પ્રચલિત હતો.
- ત્યારબાદ ગણતંત્રમાં ગણના પ્રમુખથી વધુ સમસ્ત ગણનું મહત્ત્વ રહેલું હોવાથી એ સંવત 'માલવગણ સંવત'
નામે ઓળખાયો.

- અવંતિમાં ફરી પાછું શકોનું શાસન પ્રવર્ત્યે અને લાંબા સમય સુધી રહ્યું. આથી આગળ જતાં કૃત નામ લુપ્ત થયું, પણ માલવગણ નામ ટકી રહ્યું.
- બાદમાં આવેલા ગુપ્ત સમ્રાટોએ ગણતંત્રોનો નાશ કર્યો અને માલવદેશમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું, ત્યારે માલવ પ્રજાએ આ પ્રાચીન સંવત ચાલુ રાખ્યો.
- આઠમી-નવમી સદીમાં ભારતીય પ્રજામાં ગણતંત્રની પ્રથા લુપ્ત થઈ અને રાજતંત્રમાં વ્યક્તિનો મહિમા વધ્યો, ત્યારે માલવગણના સ્થાને માલવ પ્રજાના ગણમુખ્ય વિક્રમાદિત્યનું નામ પ્રચલિત થયું.



- ત્યારથી આજ દિન સુધી આ સંવત વિક્રમાદિત્યના નામ પરથી વિક્રમ સંવત તરીકે ઓળખાય છે. જે ઈસવી સનથી 57 વર્ષ આગળ છે.
- સોલંકી કાળથી વિક્રમ સંવતનો પ્રયોગ ગુજરાતમાં વધ્યો હોવાનું માલૂમ પડે છે, ત્યારથી ગુજરાતમાં વિક્રમ સંવત જ વ્યાપક રીતે પ્રચલિત રહ્યો છે.
- ગુજરાતમાં વિક્રમ સંવતનું વર્ષ કાર્તિકાદિ છે, એટલે કે કારતક માસથી શરૂ થઇ આસો માસ સુધીનું હોય છે.



વિક્રમ સંવતના શરૂઆતના બે-ત્રણ મહિના દરમિયાન, કાર્તિક સુદ એકમથી 31મી ડિસેમ્બર સુધી વિક્રમ સંવતના વર્ષમાંથી 57 બાદ કરતાં ઈસવી સનનું વર્ષ આવે છે. (વિક્રમ સંવત 2079 - 57 = 2022 ઈસવી સન)
- જ્યારે પછીના નવ-દસ મહિના દરમિયાન 1લી જાન્યુઆરીથી આસોના અંત સુધી વિક્રમ સંવતના વર્ષમાંથી 56 બાદ કરતાં ઈસવી સનનું વર્ષ આવે છે.
- બ્રિટિશ કાલ દરમિયાન લોકવ્યવહારમાં ઈસવી સનનું ચલણ થતાં વિક્રમ સંવતનો પ્રયોગ મર્યાદિત થતો જાય છે. તેમ છત્તાં વર્ષ દરમિયાન મોટા ભાગના તહેવારો આ સંવત અનુસાર જ ઉજવાય છે.

🎆🎉

Dancing to the rhythm of life's trends, while savoring the melody of our deepest emotions. 🎶💓
12/11/2023

Dancing to the rhythm of life's trends, while savoring the melody of our deepest emotions. 🎶💓

શુભ દીપાવલીદિવાળી પર દીવા પ્રગટાવવાનું વૈજ્ઞાનિક મહત્વ અંધકાર ના ફેલાવા અને પ્રકાશના પ્રચારના પ્રતીકમાં રહેલું છે, જેને ...
12/11/2023

શુભ દીપાવલી

દિવાળી પર દીવા પ્રગટાવવાનું વૈજ્ઞાનિક મહત્વ અંધકાર ના ફેલાવા અને પ્રકાશના પ્રચારના પ્રતીકમાં રહેલું છે, જેને અજ્ઞાનનો ફેલાવો અને જ્ઞાનની શોધ તરીકે પણ રૂપકાત્મક રીતે અર્થઘટન કરી શકાય છે. પ્રકાશની માનસિક સુખાકારી પર સકારાત્મક અસર પડે છે, અને દીવા પ્રગટાવવાનું કાર્ય ઉત્સવનું અને આનંદી વાતાવરણ બનાવી શકે છે, જે ઉજવણી દરમિયાન વ્યક્તિઓના મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક સુખાકારીમાં ફાળો આપે છે.

✨🪔

કહો કાળી ચૌદશ, રૂપ ચૌદશ કે કહો નર્ક ચતુર્દશી... જાણો તેનું વિશેષ મહાત્મ્ય.કાળી ચૌદશનું મહાત્મ્યદિવાળીના આગલા દિવસે ઉજવા...
11/11/2023

કહો કાળી ચૌદશ,
રૂપ ચૌદશ કે કહો નર્ક ચતુર્દશી...
જાણો તેનું વિશેષ મહાત્મ્ય

.

કાળી ચૌદશનું મહાત્મ્ય

દિવાળીના આગલા દિવસે ઉજવાતાં આ પર્વને નાની દિવાળી પણ કહેવાય છે. આ દિવસે સવારે સ્નાનાદિ ક્રિયાઓ પતાવીને યમની પૂજા કરવાનું મહત્વ છે. તેને યમ તર્પણ કહેવાય છે.
• આ ઉપરાંત આ દિવસે હનુમાનજીની આરાધના કરવામાં આવે છે. તેલમાં તળેલા વડા અને ચાર ચોકે પાણીનાં કુંડાળા કરી કકળાટ દૂર કરવાનો મહિમા પણ રહેલો છે.આ ઉપરાંત આ દિવસે હનુમાનજીની આરાધના કરવામાં આવે છે. તેલમાં તળેલા વડા અને ચાર ચોકે પાણીનાં કુંડાળા કરી કકળાટ દૂર કરવાનો મહિમા પણ રહેલો છે.

Exploring the ever-changing trends in our fast-paced world, but never forgetting the timeless power of our emotions. 🌟💭 ...
10/11/2023

Exploring the ever-changing trends in our fast-paced world,
but never forgetting the timeless power of our emotions. 🌟💭

💰🙏

ધન તેરસધન તેરસના શુભ દિવસે જ્યારે ધનની પૂજા કરવામાં આવે છે,ત્યારે આવો જાણીએ તેનાં વિશેની કેટલીકરસપ્રદ વાતો વ્યવહારુ ચલણન...
10/11/2023

ધન તેરસ
ધન તેરસના શુભ દિવસે જ્યારે ધનની પૂજા કરવામાં આવે છે,
ત્યારે આવો જાણીએ તેનાં વિશેની કેટલીક
રસપ્રદ વાતો વ્યવહારુ ચલણની ઉત્ક્રાંતિના સ્વરૂપે…

Address

1040/Silvar Business Point, Near VIP Circle, Utran
Surat
394105

Alerts

Be the first to know and let us send you an email when Aapdu Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aapdu Surat:

Share