21/03/2021
Summer vacation plans
Gujarat, Himachal, Kashmir, West bengal, Uttarakhand, Rajasthan,
ઉનાળામાં ફરવા લાયક ભારતના ઓછા ખર્ચાળ એવા પાંચ સ્થળો વિશે જાણો
ઉનાળાના આ દિવસોમાં ભારતના ઘણા ભાગોમાં સૂર્યની ગરમી ધૂમ મચાવી રહી છે. સૂર્યની ગરમીથી ઘણા લોકો પરેશાન છે. જો તમે આ કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા માટે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અમે તમને દેશના પાંચ એવા પ્રવાસ સ્થળો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં ઠંડકમાં પહોંચીને તમે આનંદથી તમારા પરિવાર સાથે ફરી શકો છો. આ પ્રવાસ સ્થળોએ તમને ગરમીથી રાહત મળશે તેમજ તમારા રજાના દિવસો પણ આનંદમય થઈ જશે. આ પ્રવાસ સ્થળો ઓછા ખર્ચાળ છે જેની તમારા બજેટ પર કોઇ અસર થશે નહીં.
1.સ્પિતી ઘાટી, જ્યાં ઉનાળામાં તાપમાન 15 ડિગ્રી રહે છે:
હિમાચલ પ્રદેશમાં આવેલું સ્પિતી ઘાટી ભારતમાં ઉનાળામાં ફરવાલાયક મુખ્ય પ્રવાસ સ્થળોમાંનું એક છે. આ સ્થળ સમુદ્ર સપાટીથી 12,500 ફૂટ ઊંચાઈએ આવેલું છે અને ચોતરફ હિમાલયથી ઘેરાયેલું છે. સ્પિતી ઘાટી એક એવું સ્થળ છે, જ્યાં ઉનાળા દરમિયાન તાપમાન લગભગ 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહે છે તેમજ વર્ષ દરમિયાન ફક્ત 250 દિવસ તડકો નીકળે છે. તેથી તે ભારતના સૌથી ઠંડા સ્થળોમાંથી એક છે.
2. દાર્જિલિંગ નુ તાપમાન 25 ડિગ્રી આસપાસ રહે છે.
પશ્ચિમ બંગાળ રાજ્યનું મુખ્ય પ્રવાસ સ્થળ દાર્જલિંગ જે ઉનાળામાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. અહીંની સીમાઓ બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળ સાથે જોડાયેલી છે. ભારતનું પ્રખ્યાત હિલ સ્ટેશન દાર્જલિંગ પણ ઠંડુ છે અને તે ચાના બગીચાઓ માટે વિશ્વ વિખ્યાત છે. અહીં ઉનાળામાં તાપમાન વધારેમાં વધારે 25 ડિગ્રી સેલ્સિયસ રહે છે. અહીંની સુંદરતા તેમજ ઠંડીને લીધે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
3. ગરમ સ્થળોની સરખામણીમાં ખુબ જ ઓછા તાપમાન વાળું તવાંગ:
અરુણાચલ પ્રદેશમાં આવેલું તવાંગ ઉનાળામાં ફરવા માટે સૌથી મુખ્ય સ્થળ છે. તવાંગ ખુબજ ઠંડુ તેમજ સુંદર પ્રવાસ સ્થળ છે. અહીં અનેક મઠ છે જેમાં સૌથી વિશેષ તવાંગ મઠ છે. ઉનાળામાં તવાંગનુ તાપમાન 5 થી 21 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. આ ક્ષેત્ર ખૂબ જ ઠંડુ છે તેથી અહીં ઉનાળાની ઋતુમાં પ્રવાસીઓનો મેળાવડો રહે છે.
4. અંગ્રેજો દ્વારા વિકસિત થયેલું ઠંડુ ક્ષેત્ર રાણીખેત:
ઉત્તરાખંડમાં આવેલું રાણીખેત ખુબજ ઠંડુ અને મુખ્ય હિલ સ્ટેશન છે. શાંત જળ વાયુ અને પ્રાકૃતિક સુંદરતાને લીધે અહીં ઉનાળાની ઋતુનું મુખ્ય પ્રવાસ ક્ષેત્ર છે. રાણીખેત નું તાપમાન ઉનાળામાં 8 થી 22 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. રાણીખેતને અંગ્રેજો દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું. આ ક્ષેત્ર જંગલો તેમજ હિમાલય પર્વતના પહાડોને જોડે છે.
5. ઉનાળામાં ફરવા લાયક ખાસ સ્થળ રાજસ્થાનનું માઉન્ટ આબુ:
ઉનાળાની ઋતુમાં ફરવા માટે પ્રખ્યાત રાજસ્થાનનું માઉન્ટ આબુ મુખ્ય હિલ સ્ટેશન માંથી એક છે. અહીંનું શાંત જળ વાયુ અને પર્વતથી નીચેની તરફના મેદાનોનું દ્રશ્ય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. ઉનાળાની ઋતુમાં માઉન્ટ આબુનું તાપમાન ફક્ત 33 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે. ઉનાળાની ઋતુમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે તેમજ અહીંના પ્રખ્યાત સ્થળો નક્કી ઝીલ, હનીમૂન પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, દેલવાડા મંદિર વગેરે સ્થળોએ પહોંચીને આનંદ માણે છે.
6. સાપુતારા નું વાતાવરણ
સાપુતારા માં એક વર્ષ માં એક સરખું જ વાતાવરણ રહે છે. અહિયાં ની ઠંડી જળવાયુ ને કારણે ગુજરાત ના તડકા માં તપતા મેદાનો થી બહાર નીકળી ને આવા માટે એક આદર્શ સ્થાન છે. તે સમુદ્ર ના તળ થી 823 મીટર ની ઊંચાઈ એ આવેલું છે. અહી ગરમી માં પણ તાપમાન 28 ડિગ્રી સુધી જ રહે છે. ચોમાસામાં અહી પર્યાપ્ત માત્રા માં વરસાદ થાય છે. અને તે ખૂબ જ લીલા થઈ જાય છે. માર્ચ ના મધ્ય થી નવેમ્બર ના મધ્ય સુધી નો સમય સાપુતારા ફરવા માટે ઘણો સારો સમય છે.
સાપુતારા ક્ષેત્ર માં નદીઓ, નાળા અને તળાવ જેવા ઘણા પાણી જન્ય સ્થળ છે. જો કે સાપુતારા માં હોટેલ, પાર્ક,સ્વિમિંગ પુલ,બોટ ક્લબ, થિયેટર,રોપ વે,અને જૂ ની જેમ બધી જ આવશ્યક સુવિધા ઑ છે. આ સુવિધાઑ સાથે ઘણો વિકાસ પણ કર્યો છે. તો પણ તે પ્રકૃતિ ની સુંદરતા ને જાળવી રાખી છે.
અહી સાપુતારા જિલ, સૂર્યાસ્ત પોઈન્ટ,સૂર્યોદય પોઈન્ટ,પ્રતિ ધ્વનિ પોઈન્ટ,ટાઉન વ્યૂ પોઈન્ટ,અને ગાંધી શિખર જેવા બીજા ઘણા કેન્દ્ર છે. ગંધર્વપૂર કલાકાર ગામ, વસંદા નેશનલ પાર્ક,પૂર્ણા અભ્યાસ, ગુલાબ નો બગીચો, રોપ વે, જેવા અન્ય સાપુતારા ના સ્થળ છે. મહેલ બારડીપાડા જંગલ માં વન્ય જીવ જઈ શકે છે. જે અહિયાં થી 60 km દૂર છે. અને ગીરા જરણું જે 52 km દૂર છે.
મહેલ બરડીપાડા માં ઘણી નદીઓ અને વાંસ નો વિસ્તાર છે. જે પર્યટકો માટે ચાલવા માટે ટ્રેકિંગ માટે સારો રસ્તો છે. શુષ્ક ગુજરાત ની વચ્ચે સાપુતારા ની હરિયાળી નો દિલચસ્પ નજારો જોવાનો ન ભૂલતા. એક નિશ્ચિત કાર્યક્રમ માં તેને શામેલ કરવો જોઈએ.
રોપ વે, સાપુતારા
સાપુતારા હિલ સ્ટેશનનો અલ્હાદક દૃશ્યનો આનંદ મેળવવા માટે, વેટી રિસોર્ટ એક રોપ-વે / કેબલ કાર સેવા પ્રદાન કરે છે જેના દ્વારા તમે સુંદર દ્રશ્યો નો આનંદ ઉઠાવી શકો છો . જ્યારે તમે આ રોપ-વે સવારી કરશો ત્યારે આપ ખીણ પાર કરતી વખતે આશરે દસથી પંદર મિનિટનો આનંદ લઈ શકો છો.
સાપુતારામાં ડાંગ ના આદિવાસી લોકોની વસ્તી ઘણી છે. સપૂતરમાં આ સંગ્રહાલય ડાંગ ના આદિવાસી ની જીવનશૈલીને સમર્પિત છે. અહી તમને તેમના નૃત્યો, તેમના પોશાકો, ઇકોલોજી, તેમની જીવનશૈલી અને હાથથી બનાવેલા સંગીતનાં સાધનો, માસ્ક, વપરાયેલી સુંદર વસ્તુઓની ઝલક લઈ શકો છો, આ ઉપરાંત અહી તમને ઘણાબધા પક્ષીઓ, અને શરીર ઉપર માટીથી બનાવેલ ઘણા ટેટુ જોવા મળશે.
☆ Waghai Botanical Garden
The Ropeway
Rose Garden
Honey Bees Centre
Saptashringi Devi Mandir
Lake Garden
Step Garden
Echo Point
Table Point
Nageshwar Mahadev Temple
Purna Sanctuary
Saputara Tribal Museum
Gira Waterfalls
Sunrise Point
Sunset Point
Saputara Lake
Vansda National Park
રોપ વે, સાપુતારા