09/08/2026
👹☠️કુંભકર્ણ 6 મહિના સૂતા અને 6 મહિના જાગતા એવું કહેવાતું! હાલમાં એવું જ કંઈક સફાળા ઊંઘમાંથી જાગેલા આપણા ખોરાક નિયમન તંત્ર વિશે કહી શકાય! મહારાષ્ટ્રમાં એક ક્રાંતિકારી ખોરાક નિયમન અધિકારીએ જે ધમધમાટી બોલાવી અને 100 વર્ષ જુના આઇકોનીક કહી શકાય એવા રેસ્ટોરન્ટ, આઈસ્ક્રીમ પાર્લરો વગેરે એક જ દિવસમાં અસ્વચ્છતા, કેમિકલ્સ, કૃત્રિમ કલર અને વાસી વસ્તુઓ ઘરાકને પધરાવી દેતા એકમોને રાતોરાત બંધ કરાવી અને દરેકને ચેતવણી આપી કે જો ખોરાક વેચવામાં જરા પણ લોકોની તબિયત ને નુકસાન થાય એવું કર્યું તો તમારી ખેર નથી! આવા અધિકારીઓ ને મારા અને તમારા ખૂબ ખૂબ અભિનંદન અને સલામ. સરકારી ક્ષેત્રમાં કામ કરતા આવા દરેક અધિકારીઓ પાસે આવી અમર્યાદિત સતાઓ છે કે જૅનો ઉપયોગ લોકકલ્યાણ માં કરવામાં આવે તો આપણો દેશ એક જ દિવસમાં સ્વર્ગ બની જાય! પણ કમનસીબે અધિકારીઓ અને નેતાઓ પોતાના કલયણમાંથી નવરા નથી થતા એટલે લોકોને દરરોજ ભોગવવુ પડે છે. આશા રાખીએ કે નેતાઓ અને અધિકારીઓ પોતાની જવાબદારી સમજે અને તેમને મળતો પગાર એ લોકસેવા માટે જ છે એ ભૂલે નહીં!
🍜હવે ખોરાક અને હેલ્થની વાત ચાલુ છે તો બહારે મળતાં પનીરને કેમ ભૂલી શકાય! ખાવામાં પનીર વર્ષોથી એક રોયલ ટ્રીટમેન્ટ ભોગવે છે, કેમકે લોકોના મનમાં એવું ઘર કરી ગયું છે કે પનીર ની ઉપર દુનિયામાં કઈ નથી! અમે જ્યારે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈએ તો પંજાબી ખાવાનું હોય ત્યારે નક્કી જ હોય કે એક પનીર નું શાક અને બીજું મિક્સ વેજીટેબલ જેવું કાંઈક ઓર્ડર કરવું કેમકે ઘરે પનીર ઓછું ખાવામાં આવે એટલે બહાર તો પનીર જ ખવાય, એવું મોટેભાગે લોકો અને હું વિચારતા હોઈએ છીએ! હવે ઊંઘમાંથી ઉઠેલા તંત્ર એ પનીર પર પંજા કસ્યા છે! એનાલોગ પનીર એટલે કે દૂધ સિવાયની વસ્તુઓ જેવી કે પામોલિન તેલ, સ્ટાર્ચ અને બીજા કેમિકલ માંથી બનતું પનીર સામાન્ય પનીર કરતા ઘણું સસ્તું હોવાથી વ્યાપારિક ધોરણે એનો વપરાશ ખૂબ જ ફુલ્યો ફાલ્યો છે!હવે પનીરના સ્થાને બટેટાના શાકનો અને કાજુના શાકનો ઓર્ડર વધશે તો નવાઈ નહીં થાય!
પંજાબી ગ્રેવિઓ નો લાલ ચટક અને લીલો કલર એમાં નાખવામાં આવતા સિન્થેટિક કલર ને આભારી છે. લીલી ચટણી અને પાણીપુરી ના કલરને જાળવી રાખવા માટે તેમાં સોડિયમ બેંઝોએટ વપરાય છે એ તો જગ જાહેર છે. આ ઉપરાંત ખૂબ મોટા નફાના માર્જિન સાથે વપરાતી વસ્તુઓ જેમકે રોટી, ગાંઠીય, કચોરી , સમોસા વગેરેને છાપામાં પેક કરીને વેચવામાં આવે છે જે બિલકુલ પ્રતિબંધિત છે, તે છતાં પણ ખાણીપીણી ના વ્યવસાય વાળા હજુ પણ છાપા નો વપરાશ બંધ નથી કરી રહયા અને ખાવા વાળા પેટ ભરીને ખાઈ રહ્યા છે એ આપણા અને આપણી માનસિકતા વિશે ઘણું કહી જાય છે!
ખોરાક અને ખાણીપીણી ના વ્યવસાય સાથે જોડાયેલ લોકો નીચે મુજબનું ધ્યાન રાખી પોતાના ઘરાકને એક સારો અનુભવ આપી શકે છે અને મોટા દંડમાંથી બચી શકે છે!
1. ખોરાક ને છાપામાં પેક કરવાનું સદંતર ટાળવું જોઈએ.
2. ખોરાકની બનાવટમાં વપરાતા કૃત્રિમ કલર અને કેમિકલનો સંપૂર્ણ ત્યાગ.જેથી ઘણા રેસ્ટોરન્ટ માં હોવી તમને નેચરલ કલરની ગ્રેવી જોવા મળશે જે લાલચટક નહીં હોય!
3. પંજાબી શાકમાં પનીર દૂધમાંથી બનેલું તેમજ ગ્રેવી કલર વિનાની હોવી જોઈએ.
4. બટેટાની ક્વોલિટી ઘણા ખૂબ જ નિમ્ન એને ફેંકી દેવા જેવી વાપરે છે એના પર સદંતર રોક.
5. ઘણા લોકો પેકીંગ કરેલું ફરસાણ, બેકરીની આઈટમ વગેરે પેકીંગ વાળી વેચે છે, પણ તેના પર મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, તેમાં વપરાયેલ વસ્તુઓ અને તેલ વગેરેનો ઉલ્લેખ નથી હોતો જે કાયદાકીય અપરાધ છે.
6. ફ્રેન્ચાઇઝી બિઝનેઝ વાળા રેસ્ટોરન્ટ જે ફ્રીઝ કરેલા અને કંપ્નીમાંથી આવેલા ખૂબ જ જુના અને એક્સપાયર થઈ ગયેલા ખાદ્યપદાર્થો વાપરે છે તે બંધ કરવું જોઈએ.
7. ઘણા મસાલા બનાવતી કંપનીઓ એમાં ઉમેરેલા હાનિકારક જંતુનાશક દવાઓના લીધે એમના એક્સપોર્ટ ઓર્ડર પાછા આવ્યા છે જે હવેથી પેસ્ટીસાઇડ્સ વગર બનશે એટલે એમની શૅલ્ફ લાઈફ આપમેળે ઓછી થશે.
8. મીઠાઈઓ પણ એમાં વપરાતા હાનિકારક કલર અને વધુ પડતી મીઠાશ માટે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ વાપરે છે તે પણ અટકાવવું પડશે.
9. કેમિકલ, કૃત્રિમ રંગો અને રસાયણોથી ભરેલા ચાઈનીઝ ફૂડ આઇટમ ને કેમ ભૂલી શકાય. એમણે પણ ઘણી તકેદારી રાખવી પડશે.
10. રેસ્ટોરન્ટ અને ફૂડ પ્રોડક્ટ્સ બનવતા રસોડામાં ચોખ્ખાઇ વધારવી પડશે.
ટૂંકમાં ખાણીપીણી વ્યવસાય ના લોકોએ સમજવું પડશે કે તેમના દ્વારા થતી અઢળક કમાણી એ લોકોના સ્વાસ્થય અને હેલ્થ ના ભોગે નથી કરવાની પણ લોકોની હેલ્થની કાળજી રાખીને કરવાની છે. બસ જે વેપારી આ સમજી જશે તેનો રસ્તો આસાન થશે અને બાકીના ફક્ત કોઈ પણ ભોગે નફો કરવામાં માનતા વેપારીઓ નો ખરાબ સમય આજે નહીં તો કાલે ચાલુ થઈ જશે..
તમારું આ અંગે શું માનવું છે? શું છાપામાં પેક કરવામાં આવતા પદાર્થો તમે ટેસથી આરોગો છે કે નહીં એ કમેન્ટમાં જણાવજો!
તમારા મતે બીજી કઈ કાળજી રાખીને લોકોના સ્વાસ્થ્ય સ્ટેહે થતા ચેડાં અટકાવી શકાય એ પણ કમેન્ટ કરજો.
જો આ પોસ્ટ ગમી હોય તો લાઈક અને શેર કરજો!