India - Kutch to Zanzibar

India - Kutch to Zanzibar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from India - Kutch to Zanzibar, Travel Company, Darajani, Zanzibar.

13/04/2024
10/04/2024

*સત્ય ઘટના* એક પવિત્ર ડૉક્ટર બ્રાહ્મણની... 🌹🌸🌹

લગ્ન નિર્ધારિત થઇ ગયાં હતાં. કંકોતરીઓ વહેંચાઇ ગઇ હતી. ગ્રહશાંતિનો દિવસ આવી પહોંચ્યો હતો. પ્રતિષ્ઠિત ઘરનો પ્રસંગ હતો એટલે મહેમાનો પણ બધા પ્રતિષ્ઠાવાન જ પધાર્યા હતા. બધું જ તૈયાર હતું પણ ખાટલે મોટી ખોડ કે ગોર મહારાજ જ ગાયબ હતા.

કારણ ગમે તે હશે પણ એમનો ફોન આવી ગયો કે તબિયત અચાનક બગડી ગઇ હોવાથી આવી નહીં શકાય. યજમાન મોટી મૂંઝવણમાં મુકાઇ ગયા. લગ્નની ભરચક સિઝનમાં બીજી કન્યા મળી જાય પણ ગોર મહારાજ ન મળે. વરના પિતા રડમસ થઇ ગયા. હવે શું કરવું? 😔

*મહેમાનોમાંથી એક શાંત યુવાન ઊભો થયો. માત્ર એટલું જ બોલ્યો, ‘ઘરમાં અબોટિયું કે પીતાંબર છે?’ ફટાફટ વ્યવસ્થા થઇ ગઇ. કોટ, પેન્ટ અને ટાઇ ઊતરી ગયાં. અને દેહ પર કર્મકાંડી બ્રાહ્મણનાં વસ્ત્રો ચડી ગયા. એ યુવાને શુદ્ધ ઉચ્ચાર 🕉️ સાથે અસ્ખલિત મંત્રો બોલીને કાશીના પંડિતને પાછા પાડી દે તેવી શૈલીમાં શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી દીધી.* 👏👏

બધા ખુશ પણ થઇ ગયા અને સ્તબ્ધ પણ. જતી વખતે યજમાનના હાથમાં વિઝિટિંગ કાર્ડ મૂકીને એ યુવાને કહ્યું, ‘આવતીકાલે લગ્ન રાખ્યાં છેને? જો તમારા ગોર મહારાજ ન આવે તો આ નંબર પર ફોન કરજો. મારાથી વધારે સારી રીતે ઉચ્ચારશુદ્ધિ ધરાવતો બીજો બ્રાહ્મણ તમને નહીં મળે. હું ક્યાંય વિધિ માટે જતો નથી પણ જ્યાં ગાડું અટક્યું હોય ત્યાં મદદ કરવા અચૂક પહોંચી જાઉં છું.’☺️🚩

વરના બાપે કાર્ડમાં નામ વાચ્યું તો મોટી આંખો વધુ મોટી થઇ ગઇ. કાર્ડમાં નામ લખ્યું હતું:
🩺 *ડો. ભાસ્કર યુ. વ્યાસ, એમ.ડી. (પેથોલોજી).* કાર્ડ આપીને યુવાન તો પોતાની મોંઘીદાટ કારમાં બેસીને રવાના થઇ ગયો. વરના પિતા એમને અંગત રીતે ઓળખતા ન હતા, જેમને આમંત્રણ આપ્યું હતું એના સગા તરીકે એ આવ્યા હતા. પણ એમના કારણે ધાર્મિક વિધિ શોભી ઊઠી.

એક માણસ એના જીવનકાળમાં કેટલી ભૂમિકાઓ ભજવી શકે? *ડો. ભાસ્કર વ્યાસ આ સવાલનો સર્વશ્રેષ્ઠ જવાબ છે. પિતા વૈદ્ય ઉત્તમરામ ભોળાનાથ વ્યાસના ઘરે જન્મેલા ભાસ્કરભાઇએ છ વર્ષની ઉંમરે યજ્ઞોપવિત ધારણ કર્યા પછી કાળુપુરમાં આવેલી સ્વામિનારાયણની પાઠશા‌ળામાં પ્રવેશ લીધો.* 👌 પૂજ્ય દયાશંકર શાસ્ત્રી પાસે સંસ્કૃત ભણ્યા. ભૂષણ અને વિશારદ જેવી પરીક્ષાઓ પાસ કરી. *પૂજ્ય અંબાશંકર શાસ્ત્રી પાસેથી યજુર્વેદ સંહિતા શીખ્યા. લઘુરુદ્ર, નવચંડી, સહસ્ત્ર ચંડી યજ્ઞ, રુદ્રી, સૂર્યનારાયણની સ્તુતિ, વાસ્તુવિધિ, યજ્ઞો

30/09/2023

*" મા નું શ્રાદ્ધ ! "*

એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા.
મને કહે-
‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’

મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો.

હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા.

મે મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછયું-
‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…! માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!’

મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: ‘દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે, હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું.
હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ જ સાચું શ્રાદ્ધ ગણાય!’

એમણે આગળ કહ્યું:
‘મને ડાયાબીટીશ છે. પણ એમને સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છુ. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે.
તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું.
સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માના ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે!’

મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે!!!

આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ.
જ્ઞાતીને લાડુ દુધપાકનુ જમણ જમાડીએ છીએ.
રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું, પણ યાદ રહે ગાય- કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતું નથી.

અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી...

માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.

🙏🙏

Address

Darajani
Zanzibar

Website

Alerts

Be the first to know and let us send you an email when India - Kutch to Zanzibar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category